Offcanvas
Edit Template

નિસર્ગ કવિ સંમેલન

Home Activity નિસર્ગ કવિ સંમેલન

Mr P Sodha: પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત અને નવતર પ્રયોગો માટે જાણીતી નવાનગર નેચર કલબ દ્વારા આજ રોજ તા,૧૧/૧૧/૨૦૧૭ના પર્યાવરણ જાગૃતી અંતર્ગત “નિસર્ગ કવિ સંમેલન”નું આયોજન કરવામાં આવ્યું હતું.
  આ રંગારંગ કાર્યક્રમમાં જામનગરના  જાણીતા કવિઓ 
વર્ષાબેન ત્રિવેદી,પ્રવીણભાઈ ચાંચપરા, કુ.નમ્રતા ચાચાપરા, ભગવતીબેન પંચમતીયા, મૃણાલબેન જૈન,ભરતભાઇ વ્યાસ,ઐલેશ નળિયાંપરા,ઉત્પલ દવે,કિરીટ ગોસ્વામી, દ્વારા પ્રકૃતિ ઉપર કવિતાઓ રજુ કરી હતી તથા કુ,ઉમા પી,શીંધિયા તથા કિશોરભાઈ જોશી ( કે સર)એ. પ્રકૃતિ બાળ ગીતો રજૂ કરીને પ્રેક્ષકો-શ્રોતાઓના મન મોહી લીધા હતા. સમગ્ર કાર્યક્રમનાં સંચાલક તરીકે એલ.આઈ. સીના ડેવલોપમેન્ટ ઓફિસર તથા નવાનગર નેચર કલબના સભ્ય શ્રી  ઉત્પલ દવે સંવાદ અને કાર્યક્રમનાં સંચાલનની આગવી ઢબથી ઉપસ્થિત શ્રોતાઓ તેમજ પ્રકૃતિ પ્રેમીઓ મંત્રમુગ્ધ થયા હતા.સ્વાગત પ્રવચન પ્રમુખ શ્રી વિજયસિંહ જાડેજા કર્યું હતું તેમજ સંસ્થાની પ્રવૃત્તિઓ તેમજ ગત વર્ષના કાર્યક્રમો તેમજ આગામી કાર્યક્રમોની માહિતી શ્રી હિમાંશુ જાનીએ આપી હતી.
કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સંસ્થાનાં ટ્રસ્ટી અને સભ્યોશ્રી વિજયસિંહ એ.જાડેજા, દિનેશભાઇ રબારી,વનરાજસિંહ ચૌહાણ,ધર્મેશ અજા, મિતેષ બુધ્ધભટ્ટી, પ્રવિણસિંહ જાડેજા,હિમાંશુ જાની, કૃણાલ જોશી,શુભાસભાઈ ગંઢા, યુવરાજસિંહ સોઢા, ઉમેશભાઈ થાનકી, ભરત કાનાબાર,હરદેવસિંહ,વિશાલની આકરી મહેનત દીપી ઉઠી હતી.

કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે એચ,પી જાલા(રજીસ્ટાર ગુ,આ,યુ,સી) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય શ્રીમતી હર્ષાબા પી.જાડેજા,જાણીતાં પક્ષીવિદ જયપાલસિંહ જાડેજા, પુનિત જોશી,પ્રસિધ્ધ પર્યાવરણ વીદ શુરેશ ભટ્ટ, પી.આર, શીંધિયા,સી.ટી રાણા તેમજ બહોળા પ્રમાણમાં નાગરિકોની ઉપસ્થિતએ કાર્યક્રમને ઔર સફળતા બક્ષી હતી.

Highlights

Address

"Dharma Nivas", Shantinagar-7,
B/h Patel colony-9, Jamnagar,
Gujarat - 361 001, INDIA

© 2024 Nawanagar Nature Club
Crafted by: Raj Designs
Scroll to Top